🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉
અધ્યાય :- 1 અધ્યાય નામ :- અર્જુનવિષાદ યોગ
શ્લોક :-30
અર્જુનનો મનસંઘર્ષ અને નિર્બળતા
📜 શ્લોક :- 30
ન ચ શક્નોમ્યવસ્થારતું ભ્રમતીવ ચ મે મનઃ |
નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ || ૩૦ ||
📖 ગુજરાતી અર્થ:
અર્જુને કહ્યું હે કેશવ હવે હું અહીં ઉભા રહેવા માટે પણ સમર્થ નથી. મારું મન ભ્રમિત થઈ રહ્યું હોય તેમ ભમી રહ્યું છે અને મને બધા જ લક્ષણો (ચિહ્નો) વિપરીત એટલે કે અનિષ્ટ જ જણાઈ રહ્યા છે.
🔎 વિસ્તૃત સમજણ:
અર્જુન હવે સંપૂર્ણ રીતે મનથી નબળો પડી ગયો છે.
તેને સમજાતું નથી કે શું કરવું.
મન ગૂંચવાઈ ગયું છે અને શરીર પણ સાથ નથી આપતું.
તેને લાગે છે કે બધું ખોટું થવાનું છે.
આ દર્શાવે છે કે
જ્યારે માણસ વધારે ચિંતામાં અને ડરમાં હોય
ત્યારે તેનો વિચાર કરવાની શક્તિ ઘટી જાય છે.
♥️♥️ આજના સમયમાં સમજવાની વાત ❤️❤️
આજના સમયમાં પણ એવું જ થાય છે.
જ્યારે માણસ વધારે ટેન્શનમાં હોય
ત્યારે તે નકારાત્મક વિચારો કરવા લાગે છે.
બધું ખોટું જ થશે એવું લાગે છે
અને આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે.
એટલે મનને શાંત રાખવું અને સાચી દિશામાં વિચારવું ખૂબ જરૂરી છે.
✨ જીવન સંદેશ :- એક નાની જીવન વાર્તા
એક યુવાનનો બિઝનેસ નુકસાનમાં ગયો.
તે ખૂબ ચિંતિત થઈ ગયો.
તેને લાગ્યું કે હવે બધું ખતમ થઈ ગયું છે.
તે કોઈ નિર્ણય લઈ શકતો નહોતો.
પછી તેના એક મિત્રએ કહ્યું:
“થોડું શાંત થા અને ફરીથી વિચાર.”
તે થોડા દિવસ શાંત રહ્યો,
પછી નવા વિચાર સાથે ફરી કામ શરૂ કર્યું.
ધીમે ધીમે તે ફરી સફળ થયો.
આ વાર્તા શું શીખવે છે
❤️. મુશ્કેલીમાં મન ગૂંચવાઈ જાય છે
❤️❤️. શાંત રહેવું ખૂબ જરૂરી છે
♥️♥️♥️. નકારાત્મક વિચારોથી દૂર રહેવું
❤️❤️❤️❤️. ધીરજ અને વિચારથી રસ્તો મળે છે
