🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉
અધ્યાય :- 1 અધ્યાય નામ :- અર્જુનવિષાદ યોગ
શ્લોક :- 28
📜 શ્લોક (મોટા અક્ષરમાં):
અર્જુન ઉવાચ |
દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ |
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ || ૨૮ ||
📖 ગુજરાતી અર્થ:
અર્જુને કહ્યું: "હે કૃષ્ણ! યુદ્ધની ઈચ્છાથી અહીં એકઠા થયેલા આ સ્વજનોને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે ધ્રૂજી રહ્યા છે અને મારું મુખ સુકાઈ રહ્યું છે.
🔎 વિસ્તૃત સમજણ:
અર્જુન હવે ખૂબ જ દુઃખી અને ગભરાયેલો છે.
જ્યારે તેણે પોતાના સગા-સંબંધીઓને યુદ્ધ માટે ઉભેલા જોયા,
ત્યારે તેના શરીરમાં કમજોરી આવી ગઈ.
તેના હાથ-પગ ઢીલા પડી ગયા
અને મોઢું સૂકાઈ ગયું.
આ દર્શાવે છે કે
જ્યારે માણસ વધારે ભાવનામાં આવી જાય છે
ત્યારે તેનો શરીર અને મન બંને પ્રભાવિત થાય છે.
❤️ આજના સમયમાં સમજવાની વાત ❤️
આજના સમયમાં પણ એવું જ થાય છે.
જ્યારે માણસ વધારે ટેન્શનમાં હોય
અથવા ડર અને દુઃખમાં હોય
ત્યારે શરીર પર અસર થાય છે.
હાથ કાંપવા લાગે
મોઢું સૂકાઈ જાય
અને માણસ ગભરાઈ જાય
એટલે મનને મજબૂત રાખવું ખૂબ જરૂરી છે.
✨ જીવન સંદેશ :- એક નાની જીવન વાર્તા
એક વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ હતો.
તે ખૂબ જ ડરી ગયો હતો.
ઇન્ટરવ્યૂ પહેલાં તેના હાથ કાંપવા લાગ્યા
અને મોઢું સૂકાઈ ગયું.
પણ તેણે થોડો સમય આંખ બંધ કરી
અને પોતાને કહ્યું:
“હું શાંત છું, હું કરી શકું છું.”
થોડીવારમાં તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો
અને ઇન્ટરવ્યૂ સારું ગયું.
આ વાર્તા શું શીખવે છે
♥️.ડર અને ટેન્શન સ્વાભાવિક છે
♥️♥️. મનને શાંત રાખવું જરૂરી છે
♥️♥️♥️. આત્મવિશ્વાસથી ડર દૂર થાય છે
♥️♥️♥️♥️. મુશ્કેલીમાં પોતાને સંભાળવું શીખવું જોઈએ
