પરિણામો મળ્યાં નથી

    Bhagavad Gita Chapter 1 Verse 39 Gujarati | Digital Thakor | Gita Gujarati explanation

     

    DIGITAL KAY DIGITAL THAKOR

    🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉

    અધ્યાય :- 1  અધ્યાય નામ :- અર્જુનવિષાદ યોગ

    શ્લોક :- 39

    અધ્યાય ૧ – શ્લોક ૩૯
    કુલના નાશથી સંસ્કાર અને ધર્મ નષ્ટ થાય છે


    📜 શ્લોક :- 39

    કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ |

     ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત || ૩૯ ||


    📖 ગુજરાતી અર્થ  :-

    અર્જુને કહ્યું  કુળનો નાશ થવાથી સનાતન કુલધર્મો  કુળની પરંપરાઓ અને સંસ્કારો નષ્ટ થઈ જાય છે અને ધર્મનો નાશ થવાથી આખા કુળમાં અધર્મ ફેલાઈ જાય છે.


    🔎 વિસ્તૃત સમજણ  :-

    અર્જુન કહે છે કે

    પરિવાર માત્ર લોકોનો સમૂહ નથી

    પણ સંસ્કાર અને પરંપરાનો આધાર છે.

    જો પરિવાર તૂટી જાય

    તો સારા સંસ્કાર પણ નષ્ટ થાય છે.

    અને જ્યાં સંસ્કાર નથી

    ત્યાં ખોટી બાબતો (અધર્મ) વધી જાય છે.

    ♥️  આજના સમયમાં સમજવાની વાત ♥️


    આજના સમયમાં પણ જો પરિવાર તૂટી જાય

    તો બાળકોને યોગ્ય સંસ્કાર મળતા નથી.

    મોબાઈલ, ખોટી સંગત અને ખોટી આદતો

    ઝડપથી વધે છે.

    એટલે પરિવારનું એકસાથે રહેવું ખૂબ જરૂરી છે.



    ✨ જીવન સંદેશ  :-  એક નાની જીવન વાર્તા

    એક પરિવાર હંમેશા સાથે રહેતો હતો.

    મોટા લોકો નાના બાળકોને સારા સંસ્કાર આપતા.

    પણ પછી ઝઘડાના કારણે પરિવાર અલગ થઈ ગયો.

    બાળકોને માર્ગદર્શન મળ્યું નહીં

    અને તેઓ ખોટી દિશામાં જવા લાગ્યા.

    આ વાર્તા શું શીખવે છે

    ♥️. પરિવાર સંસ્કારનો આધાર છે

    ♥️♥️.  મોટા લોકોનો માર્ગદર્શન જરૂરી છે

    ♥️♥️♥️. એકતા જાળવવી જોઈએ

    ♥️♥️♥️♥️. પરિવાર તૂટે તો નુકસાન થાય છે


    🎥 વિડિયો સમજણ  :- જીવનમાં પરિવારને એકસાથે રાખવો.

    સંસ્કાર આપો
    પ્રેમ રાખો
    અને સારા માર્ગ પર ચાલો
    સંસ્કાર વગરનું જીવન દિશા વગરનું હોય છે


    « અગાઉનો શ્લોક | આગળનો શ્લોક »

    ટિપ્પણી પોસ્ટ કરો

    વધુ નવું વધુ જૂનું

    نموذج الاتصال