પરિણામો મળ્યાં નથી

    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ શ્લોક ૩૨ ગુજરાતી અર્થ | અર્જુન કહે છે | રાજ્ય, ભોગ અને જીવનની ઇચ્છા નથી | Digital Thakor

     

    DIGITAL KAY DIGITAL THAKOR

    🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉

    અધ્યાય :- 1  અધ્યાય નામ  :- અર્જુનવિષાદ યોગ

    શ્લોક :- 32

    અધ્યાય  :- ૧  શ્લોક  :- ૩૨

    અર્જુનને રાજ્ય અને સુખમાં રસ નથી



    📜 શ્લોક :- 32

    કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા |

    યેષામર્થ કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ || ૩૨ ||


    📖 ગુજરાતી અર્થ:

    અર્જુને કહ્યું    હે ગોવિંદ  અમારે એવા રાજ્યનું શું પ્રયોજન અને આવા ભોગો કે જીવનનું પણ શું ફળ કારણ કે જેમના માટે અમે રાજ્ય  ભોગ અને સુખોની ઈચ્છા રાખીએ છીએ તેઓ જ તો આ યુદ્ધમાં ઉભા છે.


    🔎 વિસ્તૃત સમજણ:

    અર્જુન કહે છે કે

    જેનાં માટે આપણે સુખ, રાજ્ય અને જીવન ઈચ્છીએ છીએ,

    તે જ લોકો સામે ઉભા છે.

    જો તેઓ જ નહીં રહે

    તો આ બધું મેળવવાનું શું અર્થ?

    આ દર્શાવે છે કે

    માણસ માટે સંબંધો અને લોકોનું મહત્વ

    પૈસા અને સુખથી વધારે હોય છે.

    ♥️ આજના સમયમાં સમજવાની વાત  ♥️

    આજના સમયમાં પણ લોકો પૈસા અને સફળતા માટે દોડે છે.

    પણ ઘણીવાર તેઓ પોતાના પરિવાર અને સંબંધોને ભૂલી જાય છે.

    જ્યારે માણસ પાસે બધું હોય

    પણ પોતાના લોકો ન હોય

    તો તેને સુખ મળતું નથી.


    ✨ જીવન સંદેશ :- એક નાની જીવન વાર્તા

    એક માણસ આખી જિંદગી પૈસા કમાવામાં વ્યસ્ત રહ્યો.

    તે પાસે મોટી મિલકત, કાર અને બંગલો હતો.

    પણ તેને પોતાના પરિવાર માટે સમય ન આપ્યો.

    જ્યારે તે વૃદ્ધ થયો

    ત્યારે તેના બાળકો તેને સાથે રહેવા તૈયાર નહોતા.

    ત્યારે તેને સમજાયું કે

    પૈસા બધું નથી    સંબંધો વધુ મહત્વના છે.

    આ વાર્તા શું શીખવે છે

    ♥️  પૈસા કરતાં સંબંધો મહત્વના છે

    ♥️♥️. પરિવાર માટે સમય આપવો જોઈએ

    ♥️♥️♥️.સુખ વસ્તુઓમાં નથી, સંબંધોમાં છે

    ♥️♥️♥️♥️. જીવનમાં સંતુલન રાખવું જરૂરી છે


    🎥 વિડિયો સમજણ  :-  જીવનમાં માત્ર પૈસા કમાવા નહીં

    પણ સારા સંબંધો બનાવવું પણ જરૂરી છે.
    પ્રેમ રાખો
    સમય આપો
    અને સત્ય પર ચાલો
    પૈસા જીવન માટે છે, જીવન પૈસા માટે નથી


    « અગાઉનો શ્લોક | આગળનો શ્લોક »

    ટિપ્પણી પોસ્ટ કરો

    વધુ નવું વધુ જૂનું

    نموذج الاتصال